गुरुवार, 9 जून 2011

પ્રજાના ઘરોને કોણે પલિતો ચાંપ્યો?


ઘણા વખતથી આ પ્રશ્ન પજવતો હતો.
સૃષ્ટિ ઉપર હું સવાત્રણ દાયકાથી વિચરણ કરૂ છું. પણ છેલ્લા બે-પાંચ વરસમાં મને મારી આસપાસનું બધુ બદલાયેલું લાગે છે. દાયકાઓ લગી મને દોરતી પ્રણાલીઓ અચાનક અદ્દશ્ય થઈ ગઈ. એમાં સૌથી વધુ અકળાવતો પ્રશ્ન એ હતો કે અચાનક જ જમીન મકાનના ભાવ પાંચ ગણા કરતાય વધારે થઈ ગયા એનું કારણ શું? અચાનક બજારમાં પૈસાની રેલમછેલમ થઈ ગઈ એનું કારણ શું? રિયલ એસ્ટેટમાં સ્થિતિ એ હદે વકરી કે 15-20 હજાર રૂપિયાના પગારદારને આખી જીંદગી કામે તોય સારૂ મકાન નસીબ ન થાય. પોતીકુ મકાન ન હી ધરાવતા મજુર-કામદારોને તો ઉપર આભ-નીચે જમીન જેવી પરિસ્થિતિ આવી. લગભગ પગાર જેટલું તો ખોલીનું ભાડુ હોય. વળી નાના-મોટા શહેર, ગામડાઓ... બધે જમીનના ભાવો આસમાને ગયા.

ઉંડો વિચાર કરતા કંઈક તાળો મળ્યો.

ગઈ લોકસભાની ચુંટણીમાં ભાજપનું મુખ્ય ચુંટણી સૂત્ર હતુ, પોતે સત્તા ઉપર આવશે તો ભારતનું વિદેશી બેંકોમાં જમા કાળુ નાણુ ભારતમાં પાછુ લાવશે. અબજો રૂપિયાના કાળાનાણાનો મુદ્દો પ્રજા માટે ઘણો સંવેદનશીલ છે એ કોંગ્રેસને કંઈ શિખવવાનુ ન હોય. તરત કોંગ્રેસે કહ્યુ કે યુપીએ સત્તામાં આવશે તો અમે પણ એ કાળુ નાણુ ખેંચી લાવીશું.

દેશના બંને મુખ્ય પક્ષો ચુંટણી ઢંઢેરામાં આવી જાહેરાત કરે એટલે સ્વાભાવિકપણે ધનપતિઓને વિદેશી બેંકોમાં જમા પોતાના ધનની સુરક્ષાને લઈને ચિંતા થાય. એ પુંજીપતિઓ તત્કાળ પહોંચ્યા વિદેશી બેંકમાંથી નાણા ઉપાડી લેવા.

કાળા-ધોળા કરીને એકત્ર કરેલી સંપત્તિ અને આબરૂ બંને જાય એવું એ સમૃદ્ધ શકુનિઓ કદાપી પસંદ ન કરે. પૈસા ઉપાડી લેવા માટે આવેલા ભારતિય નેતા, અધિકારીઓ, ઉદ્યોગમાંધાતાઓના ધાડા જોઈને સ્વિચ બેંક હાંફળીફાંફળી થઈને કહે કે તમે બધા પૈસા ઉપાડી લેવા આવ્યા છો પણ અહી તમે આવો એટલે તરત અમે નોટો ગણી દઈએ એવુ તો કેમ બને. તમે જરા ખાતાધારક અંગેની બેંકની કલમો વાંચીને પછી હરકતમાં આવો. તમારા પૈસા સ્વાભાવિકપણે અમારા ગજવામા ન હોય, એતો અમે ધીરી દીધા હોય. બેંકના કાયદા પ્રમાણે કાળાનાણીયાઓને પોતાની જમા રકમના 10 ટકા રકમ તત્પુરતી પાછી મળી.

એ રકમને સંતાડવાના રસ્તા શોધવા માંડ્યા. અને ત્યાંથી લાવેલી એ અધધધધ... 10 ટકા રકમને હરામખોરોએ અહી જમીન-મકાનમાં સગેવગે કરી. એ નીચ પ્રજાતિએ કીડીને કોશનો ડામ દીઘો અને એમ રિઅલ એસ્ટેટ ભડકે બળ્યું.

ઘણા વખતથી આ પ્રશ્ન પજવતો હતો.
સૃષ્ટિ ઉપર હું સવાત્રણ દાયકાથી વિચરણ કરૂ છું. પણ છેલ્લા બે-પાંચ વરસમાં મને મારી આસપાસનું બધુ બદલાયેલું લાગે છે. દાયકાઓ લગી મને દોરતી પ્રણાલીઓ અચાનક અદ્દશ્ય થઈ ગઈ. એમાં સૌથી વધુ અકળાવતો પ્રશ્ન એ હતો કે અચાનક જ જમીન મકાનના ભાવ પાંચ ગણા કરતાય વધારે થઈ ગયા એનું કારણ શું? અચાનક બજારમાં પૈસાની રેલમછેલમ થઈ ગઈ એનું કારણ શું? રિયલ એસ્ટેટમાં સ્થિતિ એ હદે વકરી કે 15-20 હજાર રૂપિયાના પગારદારને આખી જીંદગી કામે તોય સારૂ મકાન નસીબ ન થાય. પોતીકુ મકાન ન હી ધરાવતા મજુર-કામદારોને તો ઉપર આભ-નીચે જમીન જેવી પરિસ્થિતિ આવી. લગભગ પગાર જેટલું તો ખોલીનું ભાડુ હોય. વળી નાના-મોટા શહેર, ગામડાઓ... બધે જમીનના ભાવો આસમાને ગયા.

ઉંડો વિચાર કરતા કંઈક તાળો મળ્યો.

ગઈ લોકસભાની ચુંટણીમાં ભાજપનું મુખ્ય ચુંટણી સૂત્ર હતુ, પોતે સત્તા ઉપર આવશે તો ભારતનું વિદેશી બેંકોમાં જમા કાળુ નાણુ ભારતમાં પાછુ લાવશે. અબજો રૂપિયાના કાળાનાણાનો મુદ્દો પ્રજા માટે ઘણો સંવેદનશીલ છે એ કોંગ્રેસને કંઈ શિખવવાનુ ન હોય. તરત કોંગ્રેસે કહ્યુ કે યુપીએ સત્તામાં આવશે તો અમે પણ એ કાળુ નાણુ ખેંચી લાવીશું.

દેશના બંને મુખ્ય પક્ષો ચુંટણી ઢંઢેરામાં આવી જાહેરાત કરે એટલે સ્વાભાવિકપણે ધનપતિઓને વિદેશી બેંકોમાં જમા પોતાના ધનની સુરક્ષાને લઈને ચિંતા થાય. એ પુંજીપતિઓ તત્કાળ પહોંચ્યા વિદેશી બેંકમાંથી નાણા ઉપાડી લેવા.

કાળા-ધોળા કરીને એકત્ર કરેલી સંપત્તિ અને આબરૂ બંને જાય એવું એ સમૃદ્ધ શકુનિઓ કદાપી પસંદ ન કરે. પૈસા ઉપાડી લેવા માટે આવેલા ભારતિય નેતા, અધિકારીઓ, ઉદ્યોગમાંધાતાઓના ધાડા જોઈને સ્વિચ બેંક હાંફળીફાંફળી થઈને કહે કે તમે બધા પૈસા ઉપાડી લેવા આવ્યા છો પણ અહી તમે આવો એટલે તરત અમે નોટો ગણી દઈએ એવુ તો કેમ બને. તમે જરા ખાતાધારક અંગેની બેંકની કલમો વાંચીને પછી હરકતમાં આવો. તમારા પૈસા સ્વાભાવિકપણે અમારા ગજવામા ન હોય, એતો અમે ધીરી દીધા હોય. બેંકના કાયદા પ્રમાણે કાળાનાણીયાઓને પોતાની જમા રકમના 10 ટકા રકમ તત્પુરતી પાછી મળી.

એ રકમને સંતાડવાના રસ્તા શોધવા માંડ્યા. અને ત્યાંથી લાવેલી એ અધધધધ... 10 ટકા રકમને હરામખોરોએ અહી જમીન-મકાનમાં સગેવગે કરી. એ નીચ પ્રજાતિએ કીડીને કોશનો ડામ દીઘો અને એમ રિઅલ એસ્ટેટ ભડકે બળ્યું.

कोई टिप्पणी नहीं: