शुक्रवार, 19 फ़रवरी 2010

ક્યા ભલા ક્યા હૈ બુરા

લગે રહો મુન્નાભાઇ ફિલ્મ ચાલતી હતી ત્યારે મોટાભાગના વિચારકોએ અને મોટાભાગના નાગરિકોએ ફિલ્મની સામાજીક નિસ્બતને લઇને નવાજી હતી અને હવે થ્રીઇડિયટને માંથે ફુલ ચડાવી રહૃાા છે. ડુક્કરોને એ ગમ નથી કે સોશ્યલ મેસેજની માને કુતરા પૈણે અરે, અમદાવાદમુંબઇમાં આ ફિલ્મના પાપે જ તો છેલ્લા બેએક મહિનામાં બેએક ડઝન જેટલા સગીરવયના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. ભડવાઓ એ તો જરી વિચારો કે આ જાન્યુઆરીફેબુ્રઆરી મહિનામાં નથી તો કોઈ વાર્ષિક પરિક્ષાના પરિણામ આવ્યા કે નથી કોઈ વાર્ષિક પરિક્ષાઓ લેવાઈ તોય બાળવિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓ છાપામાં કેમ ચમકવા માંડ્યા છે? જાન્યુઆરીફેબુ્રઆરીમાં બાળવિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હોય એવું કોઈ વર્ષે બન્યુ છે? ફિલ્મ જોવાની મનાઇ હોવી જોઈએ એવું નહી પણ એને મનોરંજન પુરતું જ મર્યાદિત રાખો. ફિલ્મોની અસર દારુ જેવી છે, જેટલી જલ્દી મગજ ઉપરથી ઉતરી જાય એટલી મગજની હાનિ ઓછી. એની ચર્ચાઓ છેડીને એને સમાજ સાથે ભેળવવીને મિમાંસા કરવાનું ડહાપણ કેમ સુઝે છે? એમાં તો નકરી હાનિ જ હાનિ છે.

કેમ સમજાવુ તમને? મને મારુ બાળપણ અને ગામમા આવતી ભવાઇ મંડળીઓ બરાબરની યાદ છે. ઢોલ ટિપાવીને ખેલની જાહેરાત થાય. નાયક ગામના આગેવાન પટેલ, મહાજનના ખોરડે આમંત્રણ આપવા જાય ત્યારે ગમે તેટલો ઉમદા અભિનય કરી જાણતો હોય તો પણ તેણે ડેલીમાં પ્રવેશ ન મળે. નટ મંડળી સાથે આભડછેટ રાખવામાં આવે. અમે પણ વડિલોના કહેવાથી ભવૈયા અમારા શરીરને સ્પર્શ ન કરી જાય તેની કાળજી રાખતા. પાદશાહ અકબરને સાક્ષાત પ્રથમી પર પરગટ કરી જાણે એવો પાણીદાર અભિનય કરતો નટ પણ આદર પામતો નહી. ખેલ પુરો થાય એટલે દાણોપાણી મળે તે લઈને તુરત ગામ છોડી દેવાનું. આવો કટ્ટર ઉપેક્ષાભાવ કેમ? એનો જવાબ મહાત્મા ગુર્જિયેફે લખેલા ગ્રંથ બેલ્ઝેબુબ ટેલ્સ ટૂ હિઝ ગ્રાન્ડસનમાંથી મળે છે. કાચની કેબિનમાંથી દુનિયાને જોતો કોઈ રેંજીપેંજી કટારલેખક નહી, અપાર કષ્ટો વેઠીને આધ્યાત્મિક રહસ્યોનો ઉકેલ મેળવવા દુનિયાઆખીના દુર્ગમ પ્રદેશોમાં રઝળપાટ કરનારો આ મહર્ષિ લખે છે, આ નટ મંડળીઓ સૌથી મોટા વાઇસેકર્સ છે, વસ્તુનું અસલ સ્વરુપને તેની કલ્પનાઓના રંગોથી રંગીને જુઠ્ઠા સ્વરુપે રજુ કરતા હોવાથી તેમનુ મટિરિયલ હલકી ગણવત્તાનું હોઈ તેમનાથી અંતર રાખવું, તેઓને રોટલો આપી તેનાથી દુર રહેવું સમાજના હિતમાં જોવાતું હતું. તેમના માટે વપરાતો ભાંડભવાયા શબ્દ પણ હલકો છે.


ખેલ, નાચગાન અને ભવાઈને પહેલા આદરથી નહોતા જોવાતા. તેમને પ્રોત્સાહન નહોતું અપાતું એટલે જ ગમે તેટલો ઉત્તમ નટ હોય, તેને અસ્પૃષ્ય જ ગણવામાં આવતો પણ આજે બંદરછાપ મુખમુદ્રા ધરાવતો નટ રાજાના મહેલને આંટે અને રાજવૈભવને ઝાંખો પાડે એવો વૈભવ ધરાવતો થયા છે. બહુ જાજો સમય નથી ગયો, બેત્રણ દાયકા પહેલા અભિનય કરવા કોઈ તૈયાર નહોતું થતું એટલે નાટકચેટકમાં સ્ત્રીની ભુમિકા પણ પુરુષે અદા કરવી પડતી હતી. આબરુદાર ઘરનો યુવાન કે યુવતી નટનટી બની શકે એવું તો સપનેય કલ્પી શકાતું નહોતું. આજે ગલીનો કુત્તોય જાણે છે કે રુપેરી પડદે ચમકવું હોય તો બિસ્તર ગરમ કરવાના અનેક રિટેક આપ્યા પછી તેના પર દ્દશ્ય ફિલ્માવવાનો, ફિલ્મ નટી બનવાનો અવસર મળે છે.

માનવમનનું આજકાલથી નહી, ઉત્પત્તિકાળથી જ એવું વલણ રહૃાુ છે કે અમલમાં મુકવામાં સરળ હોય તેવી બાબતો ઝડપથી આત્મસાત કરી લે છે. આત્મહત્યાનો નિર્ણય લઈને હિરો બની જવાનું સહેલું છે. બસ, મોત તરફનું એક જ પગલું માંડો અને કામ તમામ. લગે રહો મુન્નાભાઇ જોઈને એક પણ વ્યક્તિ ગાંધી નહી બને પણ ધૂમ જોઇને સેંકડો, હજારો બાઇકર્સની ગેંગો તૈયાર થઈ ગઈ છે. ઢાળમાં વસ્તુને વચ્ચે મુકો તો તે ઉપરની તરફ નહી જાય, તેની ગતિ નીચે તરફની જ રહેશે.

સમાજ વ્યવસ્થાને શું લકવો લાગી ગયો છે કે આજે જ્યા નજર નાખો ત્યાં નટનટીઓના પ્રશંશકોની કતારો લાગી છે. મલ્ટિપ્લેક્સની વાત કરીએ તો મેં તો જોયુ છે કે ત્યા મોટાભાગે કન્યાઓ નટીઓની અદાઓ મારતી હોય છે અને કુંવરો કોઈ નટ જેવા નખરા કરે છે.
થ્રિઇડિયટ્સ જોઈને બહાર નિકળતો હતો ત્યારે દાદરમાં જોયેલુ એક દ્દશ્ય, ભારતના યૌવનધનની દશા અને દિશાના પ્રતિક સરીખુ એ દ્દશ્ય આંખો સામે તરવરે છે. ઉચ્ચભૂ્ર વર્ગની એક યૌવના તેની જોડે ચાલી રહેલી સહેલીને કહેતી હતી, માન ગયે આમિર કો. હી કેન ડુ એવરીથિંગ. હિ ઇઝ એ જિનિયસ. આમિરખાને એના અંતરાત્મા ઉપર કબજો જમાવી લીધો હોય એમ આંખોમાં અતિઅતિ લજ્જાના ભાવ આ બોલતી વખતે આવી ગયા હતા.

મારા વ્હાલા ગુર્જિયેફ અને જેણે ઉત્તમ પરંપરાઓ ઘડી હતી તે સહસ્ત્રો પુર્વજો હું તમને સલામ ભરુ છું. અને વ્યવસાયે પત્રકાર હોવા છતા મેં ભાંડભવાઇ કે ફિલ્મોના કોઈ ભાગને મારા સર્જનમાં કે મસ્તિસ્કમાં પ્રવેશવા નથી દીધો એ વાત સાદર રજુ કરુ છું.

8 टिप्‍पणियां:

Bhavtu ने कहा…

It is a good writing style. I criticise your mean ideas of untouchability.

Dhawal Joshi ने कहा…

Himmat bhai nice post , maney bahu gami. u can see my blog also https://candleseye.blogspot.com

Unknown ने कहा…

ક્યાં સુધી ગાળો ભાંડશો. બિરાદર!દુનિયામાં બધું આમ જ ચાલવાનું છે
अंधेरों को क्यों कौंसे अच्छा है एक दीप जलाए

kirit ने कहा…

વાહ રે હિંમત! જેવું બોલો છો એવું લખો છો, "તમારું જીવન એ જ તમારો સંદેશ" લગે રહો...

GAGO GUJARATI ने कहा…

GALI-GALOCH BINA BHI APNI BAT KAH SHAKTE HAI HIMMAT JI. GALIYAN BOLNA KOI HIMMAT KA KAM NAHI HAI. OR 1 BAT, GALIYEN HI LIKHANI HAI TO JO RESPACTABLE LOGO KE NAM LIKHE HAI WOA REHNE DO. UNKA APMAN AAP BHI TO KAR RAHE HAI. MA KO BACHAO MAGAR GALI DEKAR NAHI. AAP YUN HI GALIYAN DETE RAHOGE OR DUNIYA YU HI CHALTI RAHEGI. AAP ME HAI HIMMAT ISE BADLNE KI TO HI BAT KARO, NAHI TO BHALA BATO SE BHUT NAHI MANTE OR LETEN AAP MAR NAHI SHAKTE. FIR GALIYEN BOLNE SE FAYDA KYA?

TAMARO HITECHHU, GAGO GUJARATI.

Unknown ने कहा…

વજેસિંહ, આને તમે દિવો સળગાવવાનું કૃત્ય ન ગણતા હો તો લાવો, ઘાસલેટને બાકસ કરીએ ભડકો.

વિરલ ત્રિવેદી ने कहा…

ગગા ગુજરાતીઓ મૂળ વિષય પર ટિપ્પણ કરવાને બદલે ગાળની પત્તર ફાડવા ક્યાં બેસી ગયાં? આમાં માત્ર ભડવો શબ્દ જ છે ને? કયાં ભ ચ છે?

himmat ने कहा…

ભાઈ વિરલ, ક્યાં છો તમે. મોબાઇલ નંબર આપો.