गुरुवार, 23 जुलाई 2009

હોમો સેપિયન્સની પ્રજાતિ ‘હોમો’ કેમ?

‘ઝાલરટાણુ’ બ્લૉગની શરૂઆત ‘હોમો સેપિટન્સની પ્રજાતિ ‘હોમો’ કેમ?’ નામની પોસ્ટથી કરી હતી. આજે ફરજ પડતા ફરી એ જુની પોસ્ટમાં ૪૫ લીટી નવી ઉમેરીને રજુ કરૂ છું.

માનસશાસ્ત્રના નિષ્ણાત મિત્ર સાથે હોમોસેક્સના વધતા ચલણ વિશે વાત થઈ. તેમણે ૨૦ હજાર જેટલી વસતિ ધરાવતા ગામની વાત કરી. આ ગામમાં 1૦૦ કરતા વધારે હોમોસેક્સમાં રાચતા લોકો અસ્તિત્વ ધરાવે છે. આ આંકડો પ્રગટ લોકોનો છે. પ્રચ્છન્ન રીતે સજાતીય સંબંધ ધરાવતા લોકોનો આમાં સમાવેશ નથી. સજાતીય સંબંધોમાં માનતી જાતિના ‘ઍક્ટિવ’ અને ‘પૅસિવ’ એમ બે પ્રકાર હોય છે તેનાથી વાચક વિદિત હશે જ. ઉપલક રીતે ફોડ પાડીએ તો સજાતીય સમાગમમાં સક્રિય રોલ અદા કરે (ઉપર) તેને ઍક્ટિવ અને નિષ્ક્રિય અર્થાત્ નીચેનો રોલ અદા કરે તે પૅસિવ. ટૂંકમાં દાતા તે ઍક્ટિવ અને સ્વીકારતા તે પૅસિવ. મિત્રના ગામે એક સજાતીય સંબંધોનું પ્રચારક જાણીતું પાત્ર છે, એને આપણે ‘ફલાણો’નામ આપીએ. આ ફલાણાનો ગામમાં હોમો સમુદાય વિકસાવવામાં મોટો ફાળો છે. તે હજામતનો વ્યવસાય કરે છે અને ગામમાં તેની દુકાન એવી મોકાની છે કે ગામમાં આવતા જતા દરેક છોકરા ઉપર તેની નજર સામેથી પસાર થાય. ફલાણો ઍક્ટિવ અને પેસિવ એમ બંને રોલ અદા કરી જાણે છે. આ ત્રીજા પ્રકારનો હોમો સમુદાય છે તે તો જણાવવાનું રહી જ ગયું. ફલાણો કુમળી વયના છોકરાઓને તેની આગવી ટ્રિકથી પકડી લે છે અને તેની સાથે સજાતીય સંબંધ બાંધે છે. જો છોકરો દુર્બળ હોય તો તેને ‘પૅસિવ’ બનાવીને પોતે ‘ઍક્ટિવ’ બની જાય છે અથવા છોકરો સબળ હોય તો ફલાણો પૅસિવ રોલમાં આવી જાય છે. સજાતીય સંબંધોને કાયદા તરફથી છૂટ મળી ગયા પછી ફલાણો હવે ૧૦ ગણા વેગથી નવા ‘હોમો’નું સર્જન કરવા માંડશે એમાં બેમત નથી. ‘હોમો’ની હિસ્ટ્રી મેળવવામાં આવે તો મોટા ભાગના કેસમાં તેમણે કિશોરકાળમાં સજાતીય સંબંધ બાંધ્યો હોવાનું જાણવા મળશે. સેક્સના આવેગો કુદરતી છે, સહજ છે તેથી તેને ખાળી શકાતા નથી કે સેક્સને ગાળો ભાંડી શકાતી નથી.


આટલું મથાળું બાંધ્યા પછી મારે અહીં સમાજ જેને ખતરનાક ગણે છે એવી વાત મૂકવી છે. સજાતીય સંબંધોમાં અસ્પૃશ્ય રહી ગયેલા મુદ્દા ઉપર મારા વિચારો રજૂ કરવા છે. મારે કહેવું છે કે આપણા પૂર્વજોના ૧૪૧૫ વર્ષની ઉંમરે સંતાનને પરણાવી દેવાના નિર્ણયમાં ડહાપણ હતું.


આપણે અને આપણા કાયદાએ આપણા પૂર્વજોના કિશોરવયે લગ્ન કરવાની પ્રથાની અવગણના કરીને હોમોસેક્સને ફૂલવાફાલવાનો અવસર આપ્યો છે. સમાંતરે લેસ્બિયન સંબંધને પણ, પરિણામે આજે સમાજમાં ‘ગે સોસાયટી’ બંધાઈ રહી છે. કોઈકોઈ દલીલ કરશે કે સજાતીય સંબંધો તો પરાપૂર્વથી ચાલ્યા આવે છે, આજકાલના નથી. સજ્જનો અને સન્નારીઓ આ દલીલને હું વજૂદ વગરની બનાવીશ.


પૂર્વે કિશોરવયે લગ્ન થઈ જતાં હતાં તેના બેચાર મોટા ફાયદા ગણાવીને પછી મુખ્ય વિષય પર પાછા ફરીએ. એકંદરે ગ્રહો, નક્ષત્રો અને ગૅલેક્સીઓ કોઈ અજ્ઞાત આકર્ષણ બળને લીધે એકબીજા ફરતે ફરે છે. જરા ધારીને જોશો તો જણાશે કે આખી પૃથ્વીના લોકો સેક્સ ફરતે ફરે છે. દરેક પ્રવૃત્તિમાં પ્રગટ કે પ્રચ્છન્નપણે સેક્સ જ ઝળકે છે; અર્થાત્ સંસારી જીવો માટે જીવનઆનંદની સૌથી મોટી ચીજ સેક્સ છે. આ વાતને કોઈ સંસારી નકારે તો એને દંભી ગણજો. આ વાસ્તવિકતા વચ્ચે આપણે છોકરાઓને ૩૦૩૫ વર્ષના થાય ત્યાં સુધી વાંઢા રાખવાને વાજબી ઠરાવીએ તે ક્યાંનો ન્યાય? જરા વધુ ઊંડે ઊતરીએ, તમે ત્રીશી વટાવી ચૂક્યા હો તો જરા અંદર ઝાંખીને જવાબ આપજો કે તમારી અંદરનું રોમાન્સનું, પ્રેમનું તત્ત્વ કઈ ઉંમરે સૌથી વધુ ઊછળતું હતું તે કહેશો? ઉતાવળે જવાબ નથી જોતો, જરા એકાગ્ર થઈને ફ્લેશ બૅકમાં જાવ અને પછી પ્રામાણિક જવાબ શોધો. એ ઉંમર હશે ૧૬૧૭ વર્ષની. તમને ૩૦૩૫ વર્ષે પરણાવ્યા ત્યારે તમે કિશોરકાળનો જીવનરસ જાળવી શક્યા હતા? તમને પરણ્યા પછી જીવનસાથીના એક સ્પર્શથી ૩૩ કરોડ રોમરાઈ જાગી ઊઠી હોય એવું થતું હતું? રોમેરોમે શરણાઈઓના સૂરો સંભળાતા હતા? હાલ તો રોમાન્સના આ વાક્યો પણ તમને ચોખલિયાવેડા લાગતા હશે.


કારકિર્દી ઘડવાની મથામણમાં એથી અનેકગણા કીમતી એવા પ્રેમ, રોમાંસને ધરાઈને માણવાનું થાળે પડી ગયું. તમે અફલાતૂન કારકિર્દી ઘડી પછી પૂછવાનું કે તમને જે કિશોરકાળે પ્રેમ રોમાંસમાંથી મળતો હતો તેટલો જીવનરસ કારકિર્દીમાંથી મળે છે ખરો? ખેર! પ્રેમરોમાંસને ધરાઈને માણ્યો જ નથી એ સંજોગોમાં સરખામણીય તમે કેમ કરશો? અહીં મુદ્દાની વાત આટલી હતી કે લગ્ન પછી કારકિર્દીનો વિકલ્પ હોવો જોઈતો હતો તેની જગ્યાએ આપણે તેને પહેલાં ઘુસાડી દીધો. મારા પિતા ૨૦ વર્ષની ઉંમરે નદીના તટે કબડ્ડી રમતા હતા, કારકિર્દીની ખેવના રાખ્યા વગર. તેમને આજે જીવનની ઢળતી સંધ્યાએ જીવન પ્રત્યે કે કારકિર્દી પ્રત્યે કંઈ ફરિયાદ નથી.


ત્રીશી પછી લગ્ન થાય તેવામાં કેટલીક અનિચ્છનીય માનસિક ગ્રંથિઓ બંધાઈ જાય છે. માઇન્ડની મેમેરીનો મોટો હિસ્સો સેક્સ અને રોમાન્સ અંગેના ખ્યાલોથી ભરાઈ જાય છે. પછી બહુ થોડી ખાલી મેમરીથી ચલાવવાનું રહે છે. આપણે કારકિર્દી બનાવવા લગ્નથી તો દૂર રહ્યા પણ મગજમાં વિજાતીય પાત્રો અને તે સંબંધેના વિચારોનો જમેલો તો કાયમ વધતો જાય એનું શું? નાની ઉંમરે લગ્ન કરી લીધાં હોય તો જિજ્ઞાસા અને એષણાઓથી તૃપ્ત મગજ વ્યવસાયલક્ષી વિચારવાને વધુ ફ્રી થાય. આવેગોને અટકાવીને કારકિર્દી પ્રતિ મન પરોવો તો આવેગો એમ અટકવાના છે કંઈ? એ તો સરળતાથી ઉપલબ્ધ સજાતીય માર્ગે વળી જશે.


પૂર્વે ગણિકાઓ, વેશ્યાઓનાં આલખો નગર મધ્યે હતાં. આજે આપણા બંધારણે દેહવ્યાપારને ગેરકાનૂની ઘોષિત કર્યો છે. તેવામાં મફતનું અને સરળતાથી ઉપલબ્ધ સજાતીય શરીર હાજર સો હથિયાર બની જાય છે. જોકે પૂર્વે જે ગણિકાની કોઠીએ થતો હતો તે દેહવ્યાપાર આજે કૉર્પોરેટ ઑફિસોમાં પણ થાય જ છે. પણ આ મુદ્દે આપણે અહીં ચૂપ રહીશું; નહીંતર તમે વળી મુદ્દાથી ભટકી જવાનું આળ ચડાવશો.

कोई टिप्पणी नहीं: