शनिवार, 5 जून 2010

ગગલા ન થાવ અને અમને કિકલા ન સમજો તો સારૂ

સ્વર્ણિમ ગુજરાતનો વાયરો તેજીથી ફુંકાઈ રહ્યો છે. ચારે કોર જય હો, જય હો, ના નારાઓ ગુંજી રહ્યા છે. ભાટચારણો ગુજરાતમાં રોકાણનું સ્તુતિગાન કરી રહ્યા છે. ગુર્જર ધરા પર રોકાણ કરવા નેનો-મોટો સૌ કોઈ દેવની દુહાઈ દઈ રહ્યુ છે. ભલકારા અને પડકારા દઈ સ્વર્ણિમને ઝળહળતુ રાખવા સૌ કોઈ દેવતાની રાખ સંકોરી રહ્યુ છે. તાન તો અમનેય ચડે છે કે માભોમની સ્તુતિમાં અમેય દુહો લલકારી દઈએ. અમે લહલહતા ડાયરાને પાનો ચડાવવા ઉતાવળે ડેલી બહારા પગ માંડ્યા પણ હાય અમને એએમટીએસે દગો દીધો. ઈ ખુટલની બસોથી અમારૂ સુખ નો જીરવાણુ તો અમે ઇન્કમટેક્સ ભાયાતુને સંગાથ કરવા સ્ટાર બજારના લોકલ બસ ડિપોટે ત્રાહિમામ ગરમીમાં ખરા બપોરે એક કલાલ ઉભા પણ ગધની એકેય બસ અમારી બાજુ નો ફરકી. એએમટીએસના પેટમા તેલ રેડાણુ કે પછી અમારા પેટમાં પાપ હતું? ઇ અમે નો હમજ્યા પણ એક કલાકમાં એકલદોકલ નિકળી(બસ) ઇ ઘુંઘટો તાણીને લાલ દરવાજા અને અન્ય માર્ગે ફંટાઈ ગઈ. અકારૂ તો અમને ત્યારે લાગ્યુ કે અમે 50 નંબરવાળીને જોઈ ન જોઈ ત્યા તો એ સડસડાટ અમારી નજર સામેથી ઓજલ થઈ ગઈ. અમારો પિત્તો ગયો. સાલુ, અમે જ ખુટલના તે જય જય ગાંગર્યા કરીએ, એએમટીએસવાળા અને આ બધાને તો મનમાય નથી.
અમે મુંબઈની 'બેસ્ટ' બસ સેવાની યાદમાં સરકી ગયા. બેસ્ટ અને એએમટીએસ વચ્ચે સ્વર્ણિમ ટાણે જ અમારાથી સરખામણી થઈ ગઈ. મૌલા માફ કરે.
મુંબઈ પાંચ વરહ ગાળ્યા પણ બેસ્ટ બસે અમને ક્યારેય પાંચ મિનિટથી વધારે રાહ જોવડાવી હોય એવું બન્યુ જાણ્યુ નથી. 7:45ની બસ પકડવા 7:47 કલાકે પહોંચો તો બસ નિકળી ગઈ હોય. અહી એએમટીએસે તો અમને કલાક-દોઢ કલાક સુધી અમારા ધૈર્યની પરિક્ષા કરતી હોય એમ રાહ જોવડાવી છે.
બપોરના ગાળામાં બે-પાંચ પેસેન્જરને લઈનેય બેસ્ટની બસો પ્રેમથી દોડતી હોય. અહી પિક-અવર્સમાં પણ અડધો કલાક-કલાકે એક બસ આવે છે. અહી બસની રાહમાં કાયમી ઉતારૂઓની ડોક ખેંચાઇને બગલા જેવી થઈ ગઈ છે એ એએમટીએસના પ્રતાપે જ તો. લોક તો એમ કહે છે કે પ્રેમમાં નેણે હાથના સજા કરીને એટલી તો રાહ જોઈ કે આમની ડોકો લાંબી થઈ ગઈ છે. ગધનું લોક દાઝ્યા ઉપર ડામ દે છે.
બેસ્ટની બસો ભલે વરસો જુની હોય પણ હોય નટી રેખા ગણેશનની જેમ પાછલી ઉંમરેય અપ-ટુ-ડેટ. બસમાં કાટનું નામ નિશાન નહી, સહેજેય રંગ ન ઉખડ્યો હોય, અંદરથી સાવ ચોખ્ખી ચણાક હોય. એનું કારણ એ કે દરેક બસ રોજ કે એકઆંતરા ધોવાઇ જતી હોય. નિયમિત રીતે નવો રંગ ચડાવી દેવામાં આવે. ઝીણી ખરાબીઓને પણ ત્વરીત દુરસ્ત કરી દેવામાં આવે. ફેક્ટરીમાંથી આવેલી એએમટીએસની બસ ભંગારવાડામાં જાય ત્યા સુધી કદી સાફ થતી જાણો ઇનામ મારા તરફથી મફત લઇ જજો.
બેસ્ટ બસનો એવો નિયમ કે સ્ટેન્ડ ઉપર એક ઉતારૂ ઉભુ હોય તોય બસ ઉભી રાખવી, ઉતારૂઓના પેટનું પાણીય ન હાલે એ રીતે બસની બ્રેક મારવી, બે રૂપિયાની ટિકિટમાં સોની નોટ કંડકટરને મળે તો મોઢુ સહેજ પણ કટાણુ કર્યા વગર છુટ્ટા સાથે ટિકિટ આપવી. એએમટીએસની બસ સર્વિસમાં તો આ બધા નિયમોની માને કુતરા પૈણી ગયા છે.
કોક ઇ કમ અક્કલના ઘણી એએમટીએસવાળાઓને હમજાવો કે પરિવહન તંત્ર એ કોઈ પણ શહેરનું/રાજ્યનું કરોડરજ્જુ છે, એના વગર દોડવાની તો વાત દુર ઉભા પણ નહી રહી શકો. કોક એને બે મહિના બેસ્ટના ગેરેજમાં મુકી આવો તો સાલાઓને અક્કલ આપોઆપ આવશે.
સાથે અમારા વતી વાતમાં આટલુ પણ ઉમેરજો કે સ્વર્ણિમ ગુજરાતમાં અમને ગમ નથી પડતી પણ બેસ્ટની હરોળનું પરિવહન તંત્ર અમદાવાદમાં ઉભુ કર્યા વગર અમદાવાદને સ્વર્ણિમ ગણાવતી વાત કરી છે તો તમને ચોસઠ જોગણીની આણ. પાંચ ટકા પ્રજા બાઈક-મોટર્સમાં ફરતી હોય એટલે બાકીના 95 ટકા જાય ભાડમાં એવું વલણ ડાહી પ્રજાનું લક્ષણ નથી હોં.

...અને છેલ્લે, પર્યાવરણની માનેય કુતરા પૈણે, જો આવું જ ચાલ્યુ તો અમારેય પબ્લિક પરિવહન સેવા પડતી મુકીને પ્રાઇવેટ વાહન વસાવવું પડશે.

सोमवार, 1 मार्च 2010

ગુજરાતી ભાષાની સમૃદ્ધિ અંગે...

શ્રી મોદી,
આપની કુશળતાની કામના સહ જણાવવાનું કે ઘણી ભાષાનો જાણકાર ફાધર વાલેસ ગુજરાતી વિશે કહે છે કે ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જોવા મળે તો તમે નવીન શોધ કરી છે એમ માનજો. એટલે ગુજરાતી ભાષાની શસક્તતા વિશે કંઈ કહેવાપણુ નથી જોતો. પણ એય હકીકત છે કે સંસ્કૃત જેવી વિશ્વશ્રેષ્ઠ ભાષાય આજે નામશેષ થવામા છે. સંસ્કૃત અંગે બ્રિટિશ વિદ્વાન સર વિલિયમ જોન્સ (૧૭૪૬-૧૭૯૪) લખે છે કે સંસ્કૃત ભલે ગમે તેટલી પ્રાચિન હોય, તેનુ બંધારણ અદ્દભુત છે, સંસ્કૃત ગ્રીક કરતા વધુ પૂર્ણ છે, શબ્દ વૈવિધ્યમાં લેટિન કરતાય વધુ સમૃદ્ધ છે અને બીજી કોઈપણ ભાષા કરતા વધુ સુંદર છે.

આવી વિશ્વની સૌથી સુંદર અને સમૃદ્ધ સંસ્કૃત ભાષા વ્યવહારમાંથી મુળ સોતી ઉખડી જવામાં છે તે હકિકત અત્યંત દુખદાયક છે પણ એની સામે એ પણ સમયનો જ તકાદો છે કે સામ્રાજ્યો, અરે આખેઆખી સભ્યતાઓ રેતીના ઢગલામાં પરિવર્તિત થઈ જાય છે. ગોબી, સહરા, થરપારકર... આજે જ્યાં છે ત્યાં એક કાળે વિશ્વની શ્રેષ્ઠ સભ્યતાઓ શ્વસતી હતી.

આટલુ મથાળુ બાંધ્યા પછી મારે રજુ કરવો છે તે મુદ્દો એ છે કે વૈશ્વિકરણના આ યુગમાં જે ભાષા વધુ સમૃદ્ધ હશે તે જીવશે, જે ભાષાની સમૃદ્ધ થવાની પ્રક્રિયા ધીમી હશે કે અટકી જશે તે ભાષાઓ ઝડપથી નાશ પામશે. અને ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવાનો એક કિમિયો મારી પાસે છે. મારો કિમિયો રજુ કરુ એ પહેલા મારે કેટલાક ગુજરાતી ભાષાવિદ્દોને ઉંધાહાથની એકાદ અડબોથ મારવી છે. ગુજરાતમુંબઇ અને ગુજરાતીઓ જ્યાં વસે છે ત્યાં નવી પેઢી વ્યવહારમાં ગુજરાતી કરતા અંગ્રેજીને વધુ પ્રાધાન્ય આપે છે તેથી ક્ષીણ થઈ રહેલી ગુજરાતી ભાષા નાશ પામશે એમ ભાષાવિદ્દો ગોકીરો કરી રહૃાા છે. અક્ષરની માંથે મિંડુ ધરાવતા શબ્દને નાકમાંથી ઉચ્ચારણ કરીને બોલવા ટેવાયેલા, હ્સ્વ અને દિર્ઘ માત્રાને એજ માપે પ્રયત્નપુર્વક સ્વરપેટીમાંથી બહાર ફેંકતા અને પોતે ગુજરાતી ભાષામાં અશુદ્ધિ નહી પ્રવેશવા દઈને ભાષાની રખેવાળી કરી રહૃાા છે અને બાકીના ગુજરાતીને દુષિત કરી રહૃાા છે એવો મત ધરાવતા આ અજ્ઞાનીઓનો નાશ થજો.

અક્કરમીના પડિયા કાણા જેવા ગુજરાતી છાપા મેગેજીનો તો ગુજરાતીને જીવાડવાને બદલે તેનું ગળું દાબવાના પ્રયત્નોમાં લાગ્યા છે. તેના એડિટરોમાલિકો લેખમાં જરાક અઘરો ગુજરાતી શબ્દ ભાળે કે તરત રાતાપિળા થઈને વાચકને સમજાય એવી ભાષામાં લખો, સરળ ગુજરાતીમાં લખો એમ કહીને કેબિન ગજવી દે છે. ગુજરાતી છાપામેગેજીનોમાં સાવ મર્યાદિત શબ્દોના ઉપયોગવાળુ ગુજરાતી વપરાય છે. શ્રી મોદી અને વહાલા ગુજરાતીઓ, ગુજરાતી ભાષા મરે ત્યારે એમાં આ લોકોનોય હિસ્સો હતો એમ જાણજો.

અને હવે રજુ કરુ છું મારો કિમિયો....
ચારણી ભાષા ગુજરાતીની નાની બહેન છે. અદ્દભુત લાઘવ છે ચારણી ભાષામાં. મડદાને બેઠા કરી શકે તેવી બળુકી આ ભાષા છે. ચારણી છે તો ગુજરાતી કુળની જ, ગુજરાતીની નાની બહેન. પણ ગુજરાતી શબ્દ કોશ ભગવદ્વોમંડળમાંથી ચારણી શબ્દો અલોપ છે, ચારણી એકેય ગુજરાતી માધ્યમોમાં દેખાતી નથી, નતો છાપાઓમાં કે ન તો પુસ્તકોમાં. શાળામહાશાળાઓમાંય ચારણીને ક્યાંય સ્થાન નથી. હા, હજુય ચારણીના વિપુલ શબ્દો સૌરાષ્ટ્રની અભણ પ્રજાની જીભે રમે છે. જરા કલ્પના કરો કે આખેઆખો ચારણી શબ્દકોશ ગુજરાતી શબ્દકોશમાં ભળી જાય તો ગરવી ગુજરાતી કેટલી સમૃદ્ધ થઈ જાય! એનો ભાષા વૈભવ દોઢો થઈ જાય! ચારણી ભાષા યુનિવર્સિટી ચાલુ કરો, કમાલની ક્રાંતિ સર્જાશે ગુજરાતી ભાષામાં. ગુજરાતીને ખાંપણ ઓઢાડવાની નોબત આવે એ પહેલા આ કામ થાય તો એનો કોઠો ટાઢો થાય બાકી મા ગુજરાતી મરી રહી છે એવી ચિચિયારીઓ પાડીને જીવતે જ એના નામના છાજીયા લેવાથી તો કાંઈ દી વળવાનો નથી. ભાષાને લાંબુ જીવાડવા માટે ભાષા શુદ્ધિ નહી, ભાષા સમૃદ્ધિની જરુર છે. ભાષાનું નદી જેવું છે એ એના સ્વરુપ બદલતી રહે છે અને ક્યારેય અશુદ્ધ થતી નથી.
આપનો અનુરક્ત,
હિંમત કાતરિયા.

(ઘણા ઉત્સાહથી વેબસાઇટ www.narendramodi.in પર શેર ધ આઇડિયા વિભાગ માટે લખેલો પણ તકનિકી કારણોસર સબમિટ ન થઈ શકેલો આ વિચાર અંતે અહી મુકવો પડ્યો. શ્રી મોદી તેની વેબસાઇટ ઉપર વિચારો સબમિટ કરી શકાતા નથી તે બાબતની તપાસ કરાવડાવે. આ તો ઘણુ ખરાબ કહેવાય. વચાર ૧૦૦૦ અક્ષરનો માંગતા હતા અને હું મારા વિચારને સંક્ષિપ્ત કરતો છેક ૫૦૦ શબ્દો સુધી લઈ ગયો, માગ્યા પ્રમાણેના ફેરફારો કરીને અડધો કલાક મથતો રહૃાો પણ હું આ વિચાર www.narendramodi.in ઉપર ન ચડાવી શક્યો.)

शुक्रवार, 19 फ़रवरी 2010

ક્યા ભલા ક્યા હૈ બુરા

લગે રહો મુન્નાભાઇ ફિલ્મ ચાલતી હતી ત્યારે મોટાભાગના વિચારકોએ અને મોટાભાગના નાગરિકોએ ફિલ્મની સામાજીક નિસ્બતને લઇને નવાજી હતી અને હવે થ્રીઇડિયટને માંથે ફુલ ચડાવી રહૃાા છે. ડુક્કરોને એ ગમ નથી કે સોશ્યલ મેસેજની માને કુતરા પૈણે અરે, અમદાવાદમુંબઇમાં આ ફિલ્મના પાપે જ તો છેલ્લા બેએક મહિનામાં બેએક ડઝન જેટલા સગીરવયના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. ભડવાઓ એ તો જરી વિચારો કે આ જાન્યુઆરીફેબુ્રઆરી મહિનામાં નથી તો કોઈ વાર્ષિક પરિક્ષાના પરિણામ આવ્યા કે નથી કોઈ વાર્ષિક પરિક્ષાઓ લેવાઈ તોય બાળવિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓ છાપામાં કેમ ચમકવા માંડ્યા છે? જાન્યુઆરીફેબુ્રઆરીમાં બાળવિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હોય એવું કોઈ વર્ષે બન્યુ છે? ફિલ્મ જોવાની મનાઇ હોવી જોઈએ એવું નહી પણ એને મનોરંજન પુરતું જ મર્યાદિત રાખો. ફિલ્મોની અસર દારુ જેવી છે, જેટલી જલ્દી મગજ ઉપરથી ઉતરી જાય એટલી મગજની હાનિ ઓછી. એની ચર્ચાઓ છેડીને એને સમાજ સાથે ભેળવવીને મિમાંસા કરવાનું ડહાપણ કેમ સુઝે છે? એમાં તો નકરી હાનિ જ હાનિ છે.

કેમ સમજાવુ તમને? મને મારુ બાળપણ અને ગામમા આવતી ભવાઇ મંડળીઓ બરાબરની યાદ છે. ઢોલ ટિપાવીને ખેલની જાહેરાત થાય. નાયક ગામના આગેવાન પટેલ, મહાજનના ખોરડે આમંત્રણ આપવા જાય ત્યારે ગમે તેટલો ઉમદા અભિનય કરી જાણતો હોય તો પણ તેણે ડેલીમાં પ્રવેશ ન મળે. નટ મંડળી સાથે આભડછેટ રાખવામાં આવે. અમે પણ વડિલોના કહેવાથી ભવૈયા અમારા શરીરને સ્પર્શ ન કરી જાય તેની કાળજી રાખતા. પાદશાહ અકબરને સાક્ષાત પ્રથમી પર પરગટ કરી જાણે એવો પાણીદાર અભિનય કરતો નટ પણ આદર પામતો નહી. ખેલ પુરો થાય એટલે દાણોપાણી મળે તે લઈને તુરત ગામ છોડી દેવાનું. આવો કટ્ટર ઉપેક્ષાભાવ કેમ? એનો જવાબ મહાત્મા ગુર્જિયેફે લખેલા ગ્રંથ બેલ્ઝેબુબ ટેલ્સ ટૂ હિઝ ગ્રાન્ડસનમાંથી મળે છે. કાચની કેબિનમાંથી દુનિયાને જોતો કોઈ રેંજીપેંજી કટારલેખક નહી, અપાર કષ્ટો વેઠીને આધ્યાત્મિક રહસ્યોનો ઉકેલ મેળવવા દુનિયાઆખીના દુર્ગમ પ્રદેશોમાં રઝળપાટ કરનારો આ મહર્ષિ લખે છે, આ નટ મંડળીઓ સૌથી મોટા વાઇસેકર્સ છે, વસ્તુનું અસલ સ્વરુપને તેની કલ્પનાઓના રંગોથી રંગીને જુઠ્ઠા સ્વરુપે રજુ કરતા હોવાથી તેમનુ મટિરિયલ હલકી ગણવત્તાનું હોઈ તેમનાથી અંતર રાખવું, તેઓને રોટલો આપી તેનાથી દુર રહેવું સમાજના હિતમાં જોવાતું હતું. તેમના માટે વપરાતો ભાંડભવાયા શબ્દ પણ હલકો છે.


ખેલ, નાચગાન અને ભવાઈને પહેલા આદરથી નહોતા જોવાતા. તેમને પ્રોત્સાહન નહોતું અપાતું એટલે જ ગમે તેટલો ઉત્તમ નટ હોય, તેને અસ્પૃષ્ય જ ગણવામાં આવતો પણ આજે બંદરછાપ મુખમુદ્રા ધરાવતો નટ રાજાના મહેલને આંટે અને રાજવૈભવને ઝાંખો પાડે એવો વૈભવ ધરાવતો થયા છે. બહુ જાજો સમય નથી ગયો, બેત્રણ દાયકા પહેલા અભિનય કરવા કોઈ તૈયાર નહોતું થતું એટલે નાટકચેટકમાં સ્ત્રીની ભુમિકા પણ પુરુષે અદા કરવી પડતી હતી. આબરુદાર ઘરનો યુવાન કે યુવતી નટનટી બની શકે એવું તો સપનેય કલ્પી શકાતું નહોતું. આજે ગલીનો કુત્તોય જાણે છે કે રુપેરી પડદે ચમકવું હોય તો બિસ્તર ગરમ કરવાના અનેક રિટેક આપ્યા પછી તેના પર દ્દશ્ય ફિલ્માવવાનો, ફિલ્મ નટી બનવાનો અવસર મળે છે.

માનવમનનું આજકાલથી નહી, ઉત્પત્તિકાળથી જ એવું વલણ રહૃાુ છે કે અમલમાં મુકવામાં સરળ હોય તેવી બાબતો ઝડપથી આત્મસાત કરી લે છે. આત્મહત્યાનો નિર્ણય લઈને હિરો બની જવાનું સહેલું છે. બસ, મોત તરફનું એક જ પગલું માંડો અને કામ તમામ. લગે રહો મુન્નાભાઇ જોઈને એક પણ વ્યક્તિ ગાંધી નહી બને પણ ધૂમ જોઇને સેંકડો, હજારો બાઇકર્સની ગેંગો તૈયાર થઈ ગઈ છે. ઢાળમાં વસ્તુને વચ્ચે મુકો તો તે ઉપરની તરફ નહી જાય, તેની ગતિ નીચે તરફની જ રહેશે.

સમાજ વ્યવસ્થાને શું લકવો લાગી ગયો છે કે આજે જ્યા નજર નાખો ત્યાં નટનટીઓના પ્રશંશકોની કતારો લાગી છે. મલ્ટિપ્લેક્સની વાત કરીએ તો મેં તો જોયુ છે કે ત્યા મોટાભાગે કન્યાઓ નટીઓની અદાઓ મારતી હોય છે અને કુંવરો કોઈ નટ જેવા નખરા કરે છે.
થ્રિઇડિયટ્સ જોઈને બહાર નિકળતો હતો ત્યારે દાદરમાં જોયેલુ એક દ્દશ્ય, ભારતના યૌવનધનની દશા અને દિશાના પ્રતિક સરીખુ એ દ્દશ્ય આંખો સામે તરવરે છે. ઉચ્ચભૂ્ર વર્ગની એક યૌવના તેની જોડે ચાલી રહેલી સહેલીને કહેતી હતી, માન ગયે આમિર કો. હી કેન ડુ એવરીથિંગ. હિ ઇઝ એ જિનિયસ. આમિરખાને એના અંતરાત્મા ઉપર કબજો જમાવી લીધો હોય એમ આંખોમાં અતિઅતિ લજ્જાના ભાવ આ બોલતી વખતે આવી ગયા હતા.

મારા વ્હાલા ગુર્જિયેફ અને જેણે ઉત્તમ પરંપરાઓ ઘડી હતી તે સહસ્ત્રો પુર્વજો હું તમને સલામ ભરુ છું. અને વ્યવસાયે પત્રકાર હોવા છતા મેં ભાંડભવાઇ કે ફિલ્મોના કોઈ ભાગને મારા સર્જનમાં કે મસ્તિસ્કમાં પ્રવેશવા નથી દીધો એ વાત સાદર રજુ કરુ છું.

बुधवार, 29 जुलाई 2009

ઉત્ક્રાંતિની માને પૈણે કુતરા

અમુક સદીઓ પહેલા જગતનો વહેવાર ‘બાર્ટર’ પદ્ધતિથી થતો હતો. એક વસ્તુના સાટે બીજી વસ્તુ આપવાની. પરસ્પર વસ્તુઓના આદાનપ્રદાનથી સંસાર રથનું ગાડું ગબડતું હતું. ત્યારે પૈસાનું મહત્વ નહોતું એટલે સંઘરાખોરી શક્ય નહોતી. (જોકે અત્યારે તો રૂપિયાના નોટસિક્કા પણ મહત્વ ગુમાવી રહ્યા છે, પ્લાસ્ટિક મની આવતા) આ જુની ‘બાર્ટર’ પદ્ધતિ હું નાનો હતો ત્યારે અમારા ગામમાં ઘણે અંશે પ્રચલનમાં હતી એને દેશી ભાષામાં ‘વાટકી વહેવાર’ કહેવાતો. ઘઉંનો લોટ ન હોય અને બાજરાનો લોટ ઘરમાં હોય અને આગંતુક મહેમાનોને લાપસી જમાડવાની હોય તો પાડોશમાંથી તપેલી ઘઉંનો લોટ લઈ આવવાનો. બદલામાં તેને તપેલી ભરીને બાજરાનો લોટ આપી દેવાનો.

ખેતર ખેડવા નિંદવામાં જરૂર પડ્યે બીજાના બળદ બેચાર દિ લઈ આવવાના અને કામ થઈ ગયા પછી ગણતરી પ્રમાણે આપણા બળદ બેચાર દિ તેમનું ખેતર ખેડવા આપવાના. નિંદામણ માટે સગા ખેડુતના ચાર માણસો ચાર દિ લઈ આવ્યા અને હવે તમારે ઢાલ (ઋણ) ચુકવવાનો વારો આવ્યો અને તમે બે માણસ જ છો તો? કશો વાંધો નહી, આઠ દિવસ તેના ખેતરે મહેનત કરી આવવાની.

‘બાર્ટર’ પદ્ધતિને પુળો મેલવા કોઈ હરામખોર માણસે ચલણને અમલમાં મુક્યું. બસ ત્યારથી મારૂ-તારૂની બોલબાલા છે. ત્યારથી સંઘરાખોર સંપત્તિવાનોનો આતંક ચારે કોર ફરી વળ્યો અને ઉત્ક્રાંતિનો ગધો ખિણમાં ગયો.

गुरुवार, 23 जुलाई 2009

હોમો સેપિયન્સની પ્રજાતિ ‘હોમો’ કેમ?

‘ઝાલરટાણુ’ બ્લૉગની શરૂઆત ‘હોમો સેપિટન્સની પ્રજાતિ ‘હોમો’ કેમ?’ નામની પોસ્ટથી કરી હતી. આજે ફરજ પડતા ફરી એ જુની પોસ્ટમાં ૪૫ લીટી નવી ઉમેરીને રજુ કરૂ છું.

માનસશાસ્ત્રના નિષ્ણાત મિત્ર સાથે હોમોસેક્સના વધતા ચલણ વિશે વાત થઈ. તેમણે ૨૦ હજાર જેટલી વસતિ ધરાવતા ગામની વાત કરી. આ ગામમાં 1૦૦ કરતા વધારે હોમોસેક્સમાં રાચતા લોકો અસ્તિત્વ ધરાવે છે. આ આંકડો પ્રગટ લોકોનો છે. પ્રચ્છન્ન રીતે સજાતીય સંબંધ ધરાવતા લોકોનો આમાં સમાવેશ નથી. સજાતીય સંબંધોમાં માનતી જાતિના ‘ઍક્ટિવ’ અને ‘પૅસિવ’ એમ બે પ્રકાર હોય છે તેનાથી વાચક વિદિત હશે જ. ઉપલક રીતે ફોડ પાડીએ તો સજાતીય સમાગમમાં સક્રિય રોલ અદા કરે (ઉપર) તેને ઍક્ટિવ અને નિષ્ક્રિય અર્થાત્ નીચેનો રોલ અદા કરે તે પૅસિવ. ટૂંકમાં દાતા તે ઍક્ટિવ અને સ્વીકારતા તે પૅસિવ. મિત્રના ગામે એક સજાતીય સંબંધોનું પ્રચારક જાણીતું પાત્ર છે, એને આપણે ‘ફલાણો’નામ આપીએ. આ ફલાણાનો ગામમાં હોમો સમુદાય વિકસાવવામાં મોટો ફાળો છે. તે હજામતનો વ્યવસાય કરે છે અને ગામમાં તેની દુકાન એવી મોકાની છે કે ગામમાં આવતા જતા દરેક છોકરા ઉપર તેની નજર સામેથી પસાર થાય. ફલાણો ઍક્ટિવ અને પેસિવ એમ બંને રોલ અદા કરી જાણે છે. આ ત્રીજા પ્રકારનો હોમો સમુદાય છે તે તો જણાવવાનું રહી જ ગયું. ફલાણો કુમળી વયના છોકરાઓને તેની આગવી ટ્રિકથી પકડી લે છે અને તેની સાથે સજાતીય સંબંધ બાંધે છે. જો છોકરો દુર્બળ હોય તો તેને ‘પૅસિવ’ બનાવીને પોતે ‘ઍક્ટિવ’ બની જાય છે અથવા છોકરો સબળ હોય તો ફલાણો પૅસિવ રોલમાં આવી જાય છે. સજાતીય સંબંધોને કાયદા તરફથી છૂટ મળી ગયા પછી ફલાણો હવે ૧૦ ગણા વેગથી નવા ‘હોમો’નું સર્જન કરવા માંડશે એમાં બેમત નથી. ‘હોમો’ની હિસ્ટ્રી મેળવવામાં આવે તો મોટા ભાગના કેસમાં તેમણે કિશોરકાળમાં સજાતીય સંબંધ બાંધ્યો હોવાનું જાણવા મળશે. સેક્સના આવેગો કુદરતી છે, સહજ છે તેથી તેને ખાળી શકાતા નથી કે સેક્સને ગાળો ભાંડી શકાતી નથી.


આટલું મથાળું બાંધ્યા પછી મારે અહીં સમાજ જેને ખતરનાક ગણે છે એવી વાત મૂકવી છે. સજાતીય સંબંધોમાં અસ્પૃશ્ય રહી ગયેલા મુદ્દા ઉપર મારા વિચારો રજૂ કરવા છે. મારે કહેવું છે કે આપણા પૂર્વજોના ૧૪૧૫ વર્ષની ઉંમરે સંતાનને પરણાવી દેવાના નિર્ણયમાં ડહાપણ હતું.


આપણે અને આપણા કાયદાએ આપણા પૂર્વજોના કિશોરવયે લગ્ન કરવાની પ્રથાની અવગણના કરીને હોમોસેક્સને ફૂલવાફાલવાનો અવસર આપ્યો છે. સમાંતરે લેસ્બિયન સંબંધને પણ, પરિણામે આજે સમાજમાં ‘ગે સોસાયટી’ બંધાઈ રહી છે. કોઈકોઈ દલીલ કરશે કે સજાતીય સંબંધો તો પરાપૂર્વથી ચાલ્યા આવે છે, આજકાલના નથી. સજ્જનો અને સન્નારીઓ આ દલીલને હું વજૂદ વગરની બનાવીશ.


પૂર્વે કિશોરવયે લગ્ન થઈ જતાં હતાં તેના બેચાર મોટા ફાયદા ગણાવીને પછી મુખ્ય વિષય પર પાછા ફરીએ. એકંદરે ગ્રહો, નક્ષત્રો અને ગૅલેક્સીઓ કોઈ અજ્ઞાત આકર્ષણ બળને લીધે એકબીજા ફરતે ફરે છે. જરા ધારીને જોશો તો જણાશે કે આખી પૃથ્વીના લોકો સેક્સ ફરતે ફરે છે. દરેક પ્રવૃત્તિમાં પ્રગટ કે પ્રચ્છન્નપણે સેક્સ જ ઝળકે છે; અર્થાત્ સંસારી જીવો માટે જીવનઆનંદની સૌથી મોટી ચીજ સેક્સ છે. આ વાતને કોઈ સંસારી નકારે તો એને દંભી ગણજો. આ વાસ્તવિકતા વચ્ચે આપણે છોકરાઓને ૩૦૩૫ વર્ષના થાય ત્યાં સુધી વાંઢા રાખવાને વાજબી ઠરાવીએ તે ક્યાંનો ન્યાય? જરા વધુ ઊંડે ઊતરીએ, તમે ત્રીશી વટાવી ચૂક્યા હો તો જરા અંદર ઝાંખીને જવાબ આપજો કે તમારી અંદરનું રોમાન્સનું, પ્રેમનું તત્ત્વ કઈ ઉંમરે સૌથી વધુ ઊછળતું હતું તે કહેશો? ઉતાવળે જવાબ નથી જોતો, જરા એકાગ્ર થઈને ફ્લેશ બૅકમાં જાવ અને પછી પ્રામાણિક જવાબ શોધો. એ ઉંમર હશે ૧૬૧૭ વર્ષની. તમને ૩૦૩૫ વર્ષે પરણાવ્યા ત્યારે તમે કિશોરકાળનો જીવનરસ જાળવી શક્યા હતા? તમને પરણ્યા પછી જીવનસાથીના એક સ્પર્શથી ૩૩ કરોડ રોમરાઈ જાગી ઊઠી હોય એવું થતું હતું? રોમેરોમે શરણાઈઓના સૂરો સંભળાતા હતા? હાલ તો રોમાન્સના આ વાક્યો પણ તમને ચોખલિયાવેડા લાગતા હશે.


કારકિર્દી ઘડવાની મથામણમાં એથી અનેકગણા કીમતી એવા પ્રેમ, રોમાંસને ધરાઈને માણવાનું થાળે પડી ગયું. તમે અફલાતૂન કારકિર્દી ઘડી પછી પૂછવાનું કે તમને જે કિશોરકાળે પ્રેમ રોમાંસમાંથી મળતો હતો તેટલો જીવનરસ કારકિર્દીમાંથી મળે છે ખરો? ખેર! પ્રેમરોમાંસને ધરાઈને માણ્યો જ નથી એ સંજોગોમાં સરખામણીય તમે કેમ કરશો? અહીં મુદ્દાની વાત આટલી હતી કે લગ્ન પછી કારકિર્દીનો વિકલ્પ હોવો જોઈતો હતો તેની જગ્યાએ આપણે તેને પહેલાં ઘુસાડી દીધો. મારા પિતા ૨૦ વર્ષની ઉંમરે નદીના તટે કબડ્ડી રમતા હતા, કારકિર્દીની ખેવના રાખ્યા વગર. તેમને આજે જીવનની ઢળતી સંધ્યાએ જીવન પ્રત્યે કે કારકિર્દી પ્રત્યે કંઈ ફરિયાદ નથી.


ત્રીશી પછી લગ્ન થાય તેવામાં કેટલીક અનિચ્છનીય માનસિક ગ્રંથિઓ બંધાઈ જાય છે. માઇન્ડની મેમેરીનો મોટો હિસ્સો સેક્સ અને રોમાન્સ અંગેના ખ્યાલોથી ભરાઈ જાય છે. પછી બહુ થોડી ખાલી મેમરીથી ચલાવવાનું રહે છે. આપણે કારકિર્દી બનાવવા લગ્નથી તો દૂર રહ્યા પણ મગજમાં વિજાતીય પાત્રો અને તે સંબંધેના વિચારોનો જમેલો તો કાયમ વધતો જાય એનું શું? નાની ઉંમરે લગ્ન કરી લીધાં હોય તો જિજ્ઞાસા અને એષણાઓથી તૃપ્ત મગજ વ્યવસાયલક્ષી વિચારવાને વધુ ફ્રી થાય. આવેગોને અટકાવીને કારકિર્દી પ્રતિ મન પરોવો તો આવેગો એમ અટકવાના છે કંઈ? એ તો સરળતાથી ઉપલબ્ધ સજાતીય માર્ગે વળી જશે.


પૂર્વે ગણિકાઓ, વેશ્યાઓનાં આલખો નગર મધ્યે હતાં. આજે આપણા બંધારણે દેહવ્યાપારને ગેરકાનૂની ઘોષિત કર્યો છે. તેવામાં મફતનું અને સરળતાથી ઉપલબ્ધ સજાતીય શરીર હાજર સો હથિયાર બની જાય છે. જોકે પૂર્વે જે ગણિકાની કોઠીએ થતો હતો તે દેહવ્યાપાર આજે કૉર્પોરેટ ઑફિસોમાં પણ થાય જ છે. પણ આ મુદ્દે આપણે અહીં ચૂપ રહીશું; નહીંતર તમે વળી મુદ્દાથી ભટકી જવાનું આળ ચડાવશો.

ઇક તરફ મંદિર, ઇક તરફ મયકદા


દારૂબંધી અને દારૂમુક્તિ બંને વિષયના લોકો પોતાના મતને વાજબી ઠરાવવા વિવિધ દલીલો કરતા રહે છે.
બંને પક્ષની દલીલો પ્રસ્તુત છે. તમારે કોને મત આપવો તે તમે નક્કી કરો.



દારૂમુક્તિની તરફેણમાં...


આખંુ જગત દારૂ પીએ છે અને પશ્ચિમમાં વિશેષ દારૂ પિવાય છે છતાં બધા ત્યાં અનુશાસનમાં વર્તે છે. ત્યાં કોઈ વાતે ઊણપ નથી.


આપણે દંભી છીએ તેથી આપણે છડેચોક નહીં પણ છાને ખૂણે દારૂ પીવામાં માનીએ છીએ. એટલે આપણે દંભનો અંચળો ફગાવીને રાજ્યની દારૂબંધી ફગાવી દેવી જોેઈએ.


ગુજરાતમાં દારૂની રેલમછેલ છે, માગો ત્યારે અને માગો તેટલો દારૂ મળે છે તો પછી ખોખલી દારૂબંધી શા કામની? આનાથી ગુજરાત સરકારની તિજોરીને વર્ષેદહાડે અમુક કરોડ રૂપિયાનું નુકસાન જાય છે. પોલીસ અને બુટલેગરો અબજોમાં આળોટે છે. દારૂબંધીથી માફિયાગીરી ઘટવાને બદલે પોલીસ અને બુટલેગરોની ગઠજોડના કારણે માફિયાગીરી વધે છે. દારૂબંધી ઉઠાવી લેવામાં આવે તો સરકારને કરોડો રૂપિયાનો ટૅક્સ બૅનિફિટ મળે, પોલીસબુટલેગર્સ વચ્ચેની સાઠગાંઠ ખતમ થાય તો સુરક્ષાતંત્ર વધુ મજબૂત થાય.


દુનિયા આખી મનફાવે ત્યારે દારૂ પી શકતી હોય અને અહીં લોકતંત્રમાં માનતા દેશનો હું નાગરિક મને પીવાનું મન થાય તો પણ ગુજરાતમાં દારૂ પી ન શકું તેમાં મારા મૂળભૂત માનવીય અધિકારોનું હનન થાય છે તેનું શું? તેમ છતાં સરકારને દારૂબંધી જ મંજૂર હોય અને મારી વાત નામંજૂર હોય તો મને મારા અધિકારોના હનન બદલ તેનું કમ્પેન્શેસન મળવું જોઈએ.


આપણે ઉદ્યોગસાહસિક પ્રજા ભલે રહી પણ મૂલતઃ આપણે ડરપોક પ્રજા છીએ એટલે નવા પરિવર્તનને ઝટ આવકારી શકતા નથી અને પરિવર્તનને લઈને જાતજાતની અશુભ શંકાઓ વ્યક્ત કરવા માંડીએ છીએ. એટલે આગુસે ચલી આતી દારૂબંધીને આપણે બિનજરૂરી રીતે આગળ ખેંચ્યે જઈએ છીએ.


સેંકડોહજારો દારૂ પીનારા સજ્જન લોકો ગુજરાતમાં વસે છે એટલે દારૂને દૂષણમાં ખપાવી દેવું ઠીક નથી. ‘અતિ સર્વત્ર વર્જ્યતે’ કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે એમ દારૂ નહીં પણ દારૂનો અતિરેક નુકસાનકારક છે.


દારૂબંધીને કારણે ઘણી બહારની ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં આવતા અચકાય છે. દારૂબંધી હટાવવામાં આવે તો ગુજરાતનો અૌદ્યોગિક વિકાસ વધુ થશે.


દારૂબંધીની તરફેણમાં...



દારૂમુક્તિ માણસને પરિવારકેન્દ્રી ઓછો અને સ્વકેન્દ્રી વધુ બનાવે છે. કેમકે દારૂ પીનારો મજૂરવર્ગ કમાણીનો મોટોભાગ દારૂ પીવામાં વેડફી નાખે છે. ક્યારેક તો પત્નીની મજૂરીના પૈસાનું પણ ઢીંચી જવામાં અચકાતો નથી.


વાતે વાતે પશ્ચિમી દેશોમાં દારૂમુક્તિનો હવાલો આપીને અહીં પણ એવું વાતાવરણ ઝંખતા લોકોને માલૂમ થાય કે પૂર્વ અને પશ્ચિમનો કોઈ વાતે સંગમ કરી શકાય તેમ નથી, કેમ કે એક તો એ બરફીલો પ્રદેશ છે, ત્યાંની પ્રજાની તબિયત માટે દારૂ નુકસાનકારક કરતાં લાભદાયક વધુ છે. આપણે ગરમ પ્રદેશમાં રહીએ છીએ અને એમાંય પેટમાં લાય પેદા કરતો દારૂ પધરાવશું તો ફેફસાં ફાટી જવા સિવાય શું ભલું થશે? બીજંુ કે એ પશ્ચિમી દેશોને દારૂ પીવો આર્થિક રીતે પોસાય તેમ છે, ત્યાં ડ્રિન્ક ભર્યા પેટના ચાળા છે. જ્યારે આપણે ત્યાં દેશની ૫૦ ટકા વસ્તી ગરીબીરેખા નીચે જીવતી હોય, બે ટંકના રોટલા માટે નસીબ સાથે માથા પછાડતી હોય ત્યારે આપણે કયા મોઢે દારૂમુક્તિની અને તેમાંથી રાજ્યની કરકમાણીની વાતો કરીશું?


હિન્દુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ... આ બધા ધર્મો ઘણી બાબતે જુદા પડે છે, પણ એક વાતે સંમત છે, બધા ધર્મોમાં દારૂબંધી ફરમાવવામાં આવી છે. મંદિરની દીવાલોએ ‘કામસૂત્ર’નાં નગ્ન શિલ્પો કોતરાવવાની ઉદારતા દાખવી શકતો ધર્મ મદ્યપાનની છૂટ નથી આપતો તે કંઈ સાવ અમસ્તંુ જ!

મૂળભૂત માનવીય અધિકારના હનનની વાત કરનારા એ વાત સમજે કે દારૂબંધીના પ્રતાપે બહેનદીકરીઓ હજુય ગુજરાતમાં મોડી રાત્રે એકલી બહાર નીકળી શકે છે. એ તમારા અધિકારહનનનું વળતર ગણશો.


ગુજરાતના કોઈ પણ શહેરમાં મોડી રાત્રે સ્ત્રીઓ ડર વગર બજારમાં નીકળી શકે છે. મદ્રાસમાં રાત્રે સાત વાગ્યા પછી કોઈ મહિલા રસ્તા ઉપર જોવા નહીં મળે. ત્યાં રાતે કામવશાત્ પણ એકલી નીકળેલી મહિલા સાથે ‘ક્યાંક દારૂડિયાઓ છેડતી કરી બેસશે’ એવા ભયથી આ પ્રથા પડી છે.


દારૂ મુક્તિવાળાં રાજ્યોમાં શેરીના નાકે આવેલી દારૂની દુકાનેથી વડીલોની ફરમાશથી દારૂ લેવા જવું પડતું હોવાથી ટીનેજ અવસ્થા સુધીમાં મોટા ભાગના છોકરાઓએ દારૂનો ટેસ્ટ કરી લીધો હોય છે અને ઘણાને દારૂનું વ્યસન પણ થઈ જાય છે જે એના ચારિત્ર ઘડતરમાં બાધક બને છે.


દારૂબંધી છતા ગુજરાતમાં છડેચોક બેફામ દારૂ પિવાય છે એવી દલીલ કરનારાઓને કહેવાનું કે દારૂબંધી ઉઠી જાય પછી હાલ પિવાય છે એના કરતા સેંકડો ગણો વધારે પિવાશેે.


નાની રકમની બચત કરીને વેપારી બનવાનું સપનું જોતા અનેક ગુજરાતી યુવકો છે. તેમનું મન એક જ દિશામાં કેન્દ્રિત હોય છે. દારૂબંધી ઉઠાવી લેવામાં આવે તો નાની બચત પણ નહી થાય અને એક લક્ષ્ય પ્રતિ મન કેન્દ્રિત પણ નહી થાય. ગુજરાત દાયકાઓથી વેપારવણજમાં દેશદુનિયામાં પંકાતું રહ્યંુ છે તેમાં અહીંની દારૂબંધીનો પણ ઘણો ફાળો છે.

गुरुवार, 26 मार्च 2009

આ લોકો સમાજસર્જકો કે સમાજ વિધ્વંસકો?




ખબર નહીં કેમ ઉત્સવો આવે એટલે ચળવળવાદીઓ અતિગંભીર થઈ જાય છે. ગઈ ઉત્તરાયણમાં રાબેતા મુજબની ખિટખિટ પિટપિટ સંભળાતી હતી, પતંગ ચગાવવાથી પંખીની પાંખો કપાઈ જાય છે, રાહદારીઓનાં ગળાં કપાઈ જાય છે.’ હમણાં હોળી ગઈ ત્યારે પણ પર્યાવરણવાદીઓ અને ચળવળવાદીઓ સળવળ્યા અને અનુરોધ કરવા લાગ્યા કે માત્ર ગુલાલનું તિલક કરીને હોળી ઊજવો. રંગોથી હોળી રમવામાં રંગો દૂર કરવા વધુ પાણીનો વપરાશ થશે. લાખો ગૅલન પાણીનો બગાડ અટકાવવા રંગોથી હોળી રમવાનું છોડી દેવું જોઈએ. હોલિકાદહન વિશે કહે છે કે હાલના સમયમાં હોલિકાદહનનું પ્રમાણ ઘટ્યંુ હોવા છતાં એકલા અમદાવાદમાં આ વર્ષે હોલિકાદહનમાં ૧૦ હજાર ટન લાકડું બળી જશે. આટલો વસવસો કર્યા પછી હોલિકાદહનમાં વધુ લાકડા ન બાળવાની સલાહ આપી જ દીધી. આ લોકો દિવાળીના તહેવાર વખતે પર્યાવરણ પ્રદૂષિત ન થાય તે માટે ફટાકડાઓ ફોડવાની ના પાડે છે.

પોતાને સમાજના હિતૈષી અને સમાજ માટે ચિંતિત ગણાવતા આ ચળવળકારો હજારો વર્ષોથી ચાલી આવતી અને ખાસ ઉદ્દેશો સાથે બનાવવામાં આવેલી આપણી ઉત્સવપ્રણાલી ઉપર ઘા કરે છે અને સમાજને ગંભીર આંતરિક નુકસાન કરે છે. તેથી આવા લોકોનાં મોંએ તાળાં મારવાં જરૂરી બને છે.

આવો આપણે આપણી એ મૂલ્યવાન અને દૂરંદેશીવાળી પરંપરાઓને એકબે દાખલા સાથે સમજીએ.
ઉતરાયણમાં આખો દિવસ અગાશીએ પતંગ ચગાવવાના બે મોટા ફાયદા છે, બીજાનો પતંગ કાપીને આપણી અંદર પડેલાં ક્રોધ, ઈર્ષા જેવા તમસ તત્ત્વોનું કૅથાર્સિસ થઈ જાય છે. બીજાને કે જાતને નુકસાન પહોંચાડ્યા સિવાય આનંદિત રહીને. બીજો ફાયદો એ કે વર્ષમાં એક આખો દિવસ સૂર્યની રૂબરૂ રહેવાનું થાય છે. સૂર્ય ઊર્જાનો ભંડાર છે અરે, જગતની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. બીજો કશો આહાર લીધા સિવાય માત્ર સૂર્યઊર્જાના સહારે જીવનઊર્જા મેળવી શકાય છે એના જીવંત દાખલાઓ આપણી આસપાસ મોજૂદ છે. એવામાં ઉત્તરાયણમાં સૂર્યઊર્જામાં આખો દિવસ નહાવા મળતાં ચામડીના ઘણા રોગો નાશ પામે છે અને સૂર્ય પાસેથી સકારાત્મક ઊર્જા મળે છે. કહોને કે ઉત્તરાયણના દિવસે આખો સમાજ શરીરશુદ્ધિ કરે છે. પતંગબાજોને વારંવાર ટપારીને ચળવળકારો આ હેતુને મારવા ઊભા થયા છે. 

હોલિકાદહનના કિસ્સામાં હું મહાત્મા ગુર્જિયેફે દુનિયાભરના પરિભ્રમણ, પ્રયોગો અને અભ્યાસના નિચોડરૂપે લખેલા પુસ્તક ‘મિટિંગ વિથ રિમાર્કેબલ મૅન’માં તેમણે લખેલો એક અનુભવ ટાંકીશ.
ગુર્જિયેફ દર્વિશ જાતિના ગંદા લાગતા અને ભિખારીનું જીવન જીવતા નાનકડા સમૂહના સંપર્કમાં આવ્યા હતા. આ લોકો કદી પાણીથી સ્નાન કરતા નહોતા. તેમના શરીરે મેલના થર જામ્યા હોય અને માથામાં જીવાતો રમતી હોય. આ લોકોમાં ગુર્જિયેફે અસાધારણ તત્વ એ જોયું કે તેઓ આટલા ગંદાગોબરા હોવા છતા ક્યારેય બીમાર નહોતા પડતા. ગુર્જિયેફે તેઓના બિમાર ન પડવા પાછળની તપાસ આદરી તો ખબર પડી કે તેમના દરેકના ઘરે એક મોટા ચુલા ઉપર થોડી ઉંચાઈએ એક બેઠક બનાવી હોય. ચુલામાં તાપ કરીને દર્વિશ બેઠક ઉપર બેસી જતો. તેમાં અમુક અૌષધિઓલાકડાઓ નાખતા હતા. તાપ અને ધુમાડાથી તેના શરીરનાં છિદ્રો ખૂલી જતાં અને ગુર્જિયેફે તેમના માથામાંથી જીવાતો કૂદીને ભાગી જતી જોઈ. ગુર્જિયેફને આ અગ્નિસ્નાનમાં રહસ્ય જણાતાં તેમણે પણ સ્નાન લીધંુ અને લખ્યંુ કે, ‘એ સ્નાન લીધા પછી મારા શરીરમાં શક્તિનો ધોધ વહેવા લાગ્યો. મેં ઘણા દિવસ સુધી શરીરમાં એ શક્તિધોધને વહેતો અનુભવ્યો.’ મારા ગામમાં હોલિકાદહન વખતે મેં પણ આવું જ કંઈક જોયું છે. ૭૮ માળના મકાનને આંબે એવડી ઊંચી હોલિકાની જ્વાળા અને એના ફરતે સમસ્ત ગામના લોકો ૭, ૧૧, ૫૧ કે ૧૦૧ આંટા ફરતા. બને એટલા આગની જ્વાળાઓની નજીક આંટા ફરવાના. શરીર ધગેલા ત્રાંબા જેવું થઈ જાય. નાના બાળકો તાપથી દાઝવાના કારણે રડારડ કરતાં હોય તો પણ માતાઓ કે વડીલો બાળકોને પરાણે હોળી ફરતે સાત ફેરા ફેરવતા અને બાળકના આખા શરીરને ફેરવીફેરવીને તપાવે. પછી બાળકને છાનાં રાખતાં કહે કે, ‘હવે, તને આખંુ વર્ષ બીમારી નહીં અડે.’ મેં હોળી ફરતે ફરતાં મારા શરીરમાં શક્તિસંચારને અનુભવ્યો છે. એટલે અનુભવે કહું છંુ કે આ શરીર શુદ્ધિની એક પારંપરિક પ્રક્રિયા હોવી જોઈએ. હવે આપણે ધુળેટીનો એક પ્રસંગ ટાંકીને વાત કરીએ.

વર્ષભરમાં ધુળેટીમાં લોકો શારીરિક રીતે પરસ્પર વધુ નજીક આવે છે. રંગવા જતાં એકબીજાને ચોળીચીમળી નાખે છે. આમાં ઊર્જાનું આદાનપ્રદાન થતું હોય છે. જિસસને શૂળીએ લટકાવ્યા હતા ત્યારે તેમના છ શિષ્યોએ પરસ્પર એકબીજાના શરીરનું માંસ તોડીને ખાધંુ હતું. આપણને એ ક્રૂરતા લાગે છે, પણ એ વાસ્તવમાં એકબીજામાં ભળી જવાની વિધિ હતી. અસ્તુ.

એમ તો કૅમિકલની ફૅક્ટરીઓમાંથી રોજનો કરોડો ગૅલન રાસાયણિક કચરો પર્યાવરણમાં ઠલવાય છે. એનું કંઈ નહીં? ધુળેટીના રંગોથી અને દિવાળીના ફટાકડાઓથી પર્યાવરણને નુકસાન જાય તે આ લોકોને દેખાય છે, નિર્દોષ આનંદ અને બીજા જીવનોપયોગી તત્ત્વોની પુરવણી થાય છે તે નથી દેખાતું. એ તેમનું અને તેમના માર્ગે જતા સમાજનું દુર્ભાગ્ય છે. બીજંુ શું.